તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમાં મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાસ્થ્ય લાભોથી અજાણ હોય છે. તુલસીને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે.

તુલસીના પાનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

જો તમને શરદી અને પછી હળવો તાવ હોય તો તમે સાકર, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં સારી રીતે પકાવીને તેનો ઉકાળો બનાવીને પી શકો છો. જો તમે ઇચ્છો તો આ દ્રાવણને સૂકવીને ગોળીઓ બનાવીને ખાઈ શકો છો. તેનાથી તમને શરદી અને હળવા તાવમાં ફાયદો થશે.

જો તમને ઝાડા હોય તો તુલસીના પાનને જીરામાં મિક્સ કરીને પીસી લો. હવે આ મિશ્રણને દિવસમાં 3-4 વખત ચાટતા રહો. આમ કરવાથી તમને ઝાડા બંધ કરવામાં ફાયદો થશે.

જે લોકોને શ્વાસની દુર્ગંધની સમસ્યા રહે છે, તેમણે દરરોજ સવારે ઉઠીને મોઢામાં તુલસીના કેટલાક પાન રાખવા જોઈએ, આમ કરવાથી શ્વાસની દુર્ગંધ ધીમે-ધીમે ઓછી થઈ જશે. તમે તુલસીના પાનને ભેળવીને તમારા ઘા પર લગાવી શકો છો, આમ કરવાથી ઈજા અને ઘા ઝડપથી સાજા થવામાં મદદ મળશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *