ઈસબગુલનો ઉપયોગ કબજિયાત, ઝાડા, સાંધાનો દુખાવો, ડિહાઇડ્રેશન, જાડાપણું અને ડાયાબિટીઝમાં રાહત આપે છે.  હવે આપણે જાણીશું ઇસબગુલના ફાયદા વિશે.

સવારે ઉઠ્યા પછી તરત જ ઇસબગુલ ગરમ પાણીમાં નાંખો, થોડા ટીપાં લીંબુ નાંખીને પીવાથી વજન ઓછું થાય છે.  ભોજન પહેલાં પણ ઇસબગુલ પીવાથી શરીરને ફાયદો થશે.  ઇસબગુલથી ઓછી ભૂખ લાગે છે. કારણ કે જ્યારે તમે ઈસબગુલને પાણીમાં ભેળળી દો છો, ત્યારે તે તેના મૂળ કદ કરતા 10 ગણું મોટું બને છે. તેથી ઇસબગુલ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને તમને ભૂખ નથી લાગતી. 

કબજિયાતથી છુટકારો મેળવવા માટે, રોજ રાત્રે સૂતા પહેલા બે ચમચી ઈસબગુલ પાણી સાથે લેશો,તો સવારે તમારું પેટ સાફ કરશે.  દર 4 કે 5 દિવસે તેનું સેવન કરવાથી રાહત મળે છે.ઇસબગુલમાં ખૂબ ફાઇબર હોય છે તે કોલેસ્ટરોલનું સ્તર પણ ઓછું રાખે છે અને હૃદયને લગતા રોગોને મટાડવામાં મદદ કરે છે.

ઉનાળામાં 3 ચમચી ઇસબગુલ પાવડર અને દેશી ખાંડ પાણીમાં મેળવી અને સવાર-સાંજ થોડા દિવસ લેવાથી કબજિયાત મટે છે.  ખાધા પછી ઠંડા પાણી સાથે ઇસબગુલ લો, તેનાથી પેટમાં એસિડની અસર ઓછી થાય છે.  જે એસિડિટીમાં રાહત આપે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *