કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ વગેરે જેવી કસરતો કરવી જોઈએ. કસરત કરવાથી મણકા ની ખસી ગયેલી ગાદીની સમસ્યામાં ઓપરેશન કરાવવાની જરૂર નથી પડતી અને આસાની થી આ સમસ્યા દૂર કરી શકાય છે.

કમરની પીડા ઘટાડવા માટે ઘણી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે, જેમાં અશ્વગંધા ચુર્ણ, શુદ્ધ શીલાજીત, બાલારિષ્ટા વગેરે તેમજ ગ્લુકોસામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને બેસવેલિયા સેરોસા પીઠના દુખાવાના નિવારણમાં ફાયદાકારક બને છે. આ ઔષધિનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.

ઉપરાંત લો એરોબિક કસરતો કરવી જોઈએ કસરત કરવાથી આપણા શરીરમાં રહેલા મણકાની ખસી ગયેલી ગાંદીની ઓપરેશન કરવાની જરૂર પડતી નથી અને તેમને સરળતાથી દૂર કરી શકાય છે.  

જે દર્દીઓનુ વજન વધારે હોય અને તેમને કમરનો દુ:ખાવો હોય તો તેઓ એ વજન ઊતરવું જોઈએ. વજન ઘટાડીને તે કમરના ખસિગયેલા મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું ભાર ઘટાડી શકે છે અને કમરના દુ:ખાવામાં આસાનીથી રાહત મેળવી શકે છે.

જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગના આદુ અને લસણનું મિશ્રણ મિશ્રણ કરી અને લગાવવાથી પણ રાહત પ્રાપ્ત થાય છે. મણકાની ગાદી ખસી જવાથી વજન ઘટાડવામાં ખૂબ જ વધારે સાવચેતી રાખવી જોઈએ તેથી મેં કોઈ પણ સમય વાંકા વળવું જોઈએ અથવા ઘૂંટણમાંથી વજન વાડી કોઈ પણ વધારે વજન ન ઉઠાવવો જોઇએ.

મણકા ની ગાદી ખસવા પર વજન ઊંચકવામાં સાવચેતી રાખવી જોઈએ. જેવી કે કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી વાંકા વળી વજન ઊંચકવું, સારા ફુટવેર વાપરવા, લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી ન રહેવું આ સાવચેતી પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત આપે છે. કમર ની ગાદી પાછળ ખસી જવાના કારણે પગ માં જતી નસ દબાઈ જવાથી સાયેટીકા નો દુઃખાવો પણ થઇ શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *