વજન ઘટાડવા માટે જંક અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેદસ્વીપણાથી ચિંતિત મોટાભાગના લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે પરંતુ દિવસભર નાસ્તા ખાવાની ટેવ છોડી દેતા નથી. આ કેલરીનું સેવન વધારે છે.

જો તમે પણ નાસ્તા ખાવાના શોખીન છો પણ વજન ઓછું કરવા માંગો છો તો શેકેલા નાસ્તા વધુ સારો વિકલ્પ છે. તે માત્ર સ્વાસ્થ્યપ્રદ જ નથી હોતી સાથે તેમાં ઓછી કેલરી પણ હોય છે. ચાલો જાણીએ વજન ઘટાડવા માટે કયા 5 શેકેલા નાસ્તા ખાવા જોઈએ.

મખાના

શેકેલા મખાના વજન ઘટાડવા માટે એક સારો નાસ્તો છે. તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે જ્યારે કેલરી અને ગ્લાયકેમિક ઓછી હોઇ છે. આ સિવાય તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ વધુ છે. મખાના ને શેકો અને તેને નાસ્તાની જેમ ખાઓ. આ વજન નિયંત્રિત કરશે.

વટાણા

વટાણા શેકવાનું ખૂબ જ સરળ છે. વટાણાને સારી રીતે ધોઈ લો અને તેને સુકાવો. ત્યારબાદ તેને માઈક્રોવેવ અથવા તો ગેસ પર બરાબર શેકી લો અને ચા સાથે આ નાસ્તાનો આનંદ માણો. આ નાસ્તા વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

ભીંડો

આ લીલી શાકભાજી ઘણા લોકોની પસંદ છે. તે ઘણા પોષક તત્વોથી ભરપુર છે. ભીંડો ડાયાબિટીઝ અને હ્રદય સંબંધી રોગોને દૂર રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

શેકેલા ચણા

તે એક નાસ્તો છે જે પ્રોટીન અને ફાઇબરથી સમૃદ્ધ છે. શેકેલા ચણા ખાવાથી વજન ઓછું થાય છે. શેકેલા ચણા સ્વાદિષ્ટ હોય છે અને તે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજનને નિયંત્રણમાં રાખે છે.

બીજ

જો તમે ડાયેટ પર છો, તો તમે તમારા મનપસંદ બીજને શેકીને તેને ખાઈ શકો છો. સૂર્યમુખી, દૂધી અને અળસી ના બીજમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. તેને ઍક પેનમાં ફ્રાય કરો અને તેને બરણીમાં રાખો અને નાસ્તાની જેમ ખાઓ.

શેકેલા અને તંદુરસ્ત નાસ્તા જેવા કે ચણા, બીજ, વટાણા અને માખાના સેવન કરવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધતું નથી. તો જો તમે ડાયેટ પર છો તો આવા નાસ્તો ખાઓ. આ નાસ્તા ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *