આજકાલ, ત્વચાના રોગોમાં ઉંદરી વધુ જોવા મળે છે. ઉંદરીના રોગને આયુર્વેદમાં “ઇન્દ્રલુપ્ત ” કહેવામાં આવે છે. આધુનિક ચીકીત્સામાં તેને ફંગસ-ફૂગજન્ય વિકૃતિ ગણવામાં આવે છે. આથી જ ત્વચાના આ રોગની જ્યાં શરૂઆત થાય છે તે સ્થાનની ત્વચા પરના વાળ ખરવા લાગે છે.

ઉંદરી શું છે?

આ સામાન્ય રીતે માથા પર જોવા મળે છે. વળી, નાના બાળકોમાં મોટા પુખ્ત વયના લોકો કરતાં આ રોગ થવાની સંભાવના વધારે હોય છે. કેટલાક માણસોની દાઢી , મૂછો, ગળા, ભમર અને હાથમા થાય છે . હાથ, ગળા અને શરીરના અન્ય ભાગો પર ઉંદરી તત્કાળ દેખાતા નથી, પરંતુ આ રોગમાં, વાળ પૂરતા પ્રમાણમાં ખરી જતા હોવાથી તે તરત જોય શકાય છે

મૂછો અને માથામાં થાતી ઉંદરી તાત્કાલિક જાણી શકાય છે. જો આ સિવાયના શરીરની ત્વચા પર જોવા મળે છે, તો તે સ્થાનનું રુંવાટી એકદમ ખરી જાય છે. આયુર્વેદના લગભગ તમામ માન્યિત ગ્રંથોમાં ઉંદરી નો ઉલ્લેખ છે અને તેની ગણતરી ગ્રંથોનાં અંતે શુદ્ર રોગોમાં કરવામા આવી છે .

આવા રોગો હોઈ છે તો સાવ શુદ્ર-મામુલી,પરંતુ શરૂયાત મા તેની ઉપેક્ષા કરવામાં આવે છે તેથી તે લપની જેમ જલ્દી મટતા નથી આ ઉંદરી ના રોગના ઘણા ઉપાયો આયુર્વેદિક ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેનો ઉત્તમ પરિણામ રોગનિવારક, ‘જાસ્મિન તેલ’ છે. આ તેલ બજારમાં પણ મળે છે. જાસ્મિન તેલ બનાવવાની પ્રક્રિયા સારવારમાં વધુ સમજાવવામાં આવશે.

લક્ષણ :

ઉંદરીનો પ્રારંભ નાના ટપકા ચકામાંથી થાય છે તે જે સ્થાને થાય છે તે સ્થાનની ત્વચા ખુબ જ સુવાળી અને ચમકદાર બની જાય છે . શરૂઆતમાં મગ ના દાણા જેટલું ગોળ ટપકું હોય છે, અને તે સ્થાનના પૂરતા પ્રમાણમાં વાળ ખરવા લાગે છે. આ જગ્યાએ, પીડા, ખંજવાળ, બળતરા, લાલાશ કે પરુ થતા નથી એટલે ત્વચાના બીજા રોગોની જેમ આ રોગ જરા પણ ત્રાસજનક બનતો નથી

ઉપચાર :

આ રોગને મટાડવામાં ‘જાસ્મિન તેલ’ ઉત્તમ પરિણામો આપે છે. આ તેલ બનાવવાની પ્રક્રિયા અહીં છે. જાસ્મિનનું પાન, કરંજ ના પાન, વરુણના ઝાડની છાલ, કરેણ ની છાલ અને ચિત્રકમૂળ ની છાલ આ બધી જડીબુટ્ટીઓને ૫૦-૫૦ ગ્રામ લો અને એક કિલો તલનું તેલ લો.

તેલમાં નાંખો અને તેને ધીરે ધીરે ઉકાળો. ઉકળતા તેલને છથી સાત ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. પછી ઠંડુ પડે એટલે બોટલ મા ભરી લેવું . ‘ઉંદરી ને લીધે વાળ કે રુંવાટી ખરી હોય તે સ્થાને ફત્ક્દીવાળા પાણીથી સાફ કરી આ તેલ આછું આછું સવારે અને રાત્રે લગાડવું દરોજ તેલના ઉપયોગ થી ધીમે ધીમે ઉંદરી માટી જાય છે તેમજ ફરીથી નવા વાળ આવી જાય છે .

આ ઉપરાંત ગુન્જાદી તેલ, રસાંજન , હસ્તીદ્ન્ત મસી ,સંશમની વટી વગેરે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ઉંદરીને મૂળથી મટાડી શકાય છે . નિષ્ણાત ચિકિત્સકની સલાહ મુજબ આ ઔ ષધિઓનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *