• સામગ્રી:
  • ૫૦૦ ગ્રામ કેરી
  • ૧ ચમચી હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧૦૦ ગ્રામ કાળા ચણા
  • ૫૦ ગ્રામ મેથી ના દાણા
  • ૫૦ ગ્રામ અધકચરા મિક્સર માં પીસેલા રાઇ દાણા
  • ૫૦ ગ્રામ અધકચરા મિક્સર માં પીસેલા મેથીના દાણા
  • ૫૦ ગ્રામ વરિયાળી નાં દાણા
  • ૧ ચમચી હિંગ
  • ૨૫૦ ગ્રામ તેલ( ગરમ કરીને તેલને ઠંડું કરી લેવું)
  • ૨ ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • લાલ મરચું પાઉડર
  • ૩૦૦ મી.લી. તેલ

ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત:  કેરીને ધોઈ અને કેરીની છાલ ને છોલી લો. હવે તેના નાનાં ટુકડા કરી લો. હવે આ કેરીના ટુકડાઓ ને મીઠું અને હળદરના પાવડર સાથે મિક્સ કરી લો. હવે તેને ઢાંકી 1 રાત માટે મૂકી દો.

હવે એક બાઉલમાં ચણા અને બીજા બાઉલમાં મેથી લઈ તેમાં પાણી એડ કરી બન્ને ને ૮-૧૦ કલાક માટે પલાળી દો. ૮-૧૦ કલાક પછી કેરીના ટુકડાં લઈ તેમાંથી પાણી નો ભાગ કાઢી તેને એક કપડાં પર છૂટા છૂટા પાથળી ને સૂકવી દો. આ ટુકડાઓને તડકામાં નથી સૂકવવાના.

હવે કેરીના ટુકડાઓમાં જે પાણી છૂટું પડ્યું છે તેમાં ચણા અને મેથી ને એડ કરો. કેરીના ખટાશ વાળા પાણીમાં ચણા અને મેથી એડ કરવાથી તેમા મીઠાશ એડ થઈ જાય છે. હવે તેને 2-3 કલાક માટે ઢાંકી ને મુકી દો.2-3 કલાક પછી તેમાંથી પાણી દૂર કરી ચણા અને મેથી ને એક કાપડ મા લઈ સૂકવી દો.

હવે અથાણાંના મસાલા માટે, તેમાં પીસેલા સરસવ નાં દાણા, મેથી ના પીસેલા દાણા, વરીયાળી નાં દાણા પીસેલા, હીંગ, તેલ, હળદળ, લાલ મરચું એડ કરી બધું હાથ વડે સારી રીતે મિક્સ કરી લો. હવે એક મોટું વાસણ લઈ તેમાં સુકાઈ ગયેલા ચણા મેથી અને સુકાયેલા કેરી નાં કટકા ને એડ કરી લો.  હવે બધું સારી રીતે મિક્સ કરી ને 3-4 કલાક માટે ઢાંકીને મૂકી દો. 3-4 કલાક પછી આ મસાલો લઈ તેને કાચની બરણીમાં ભરી દો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *