આપણા આખા શરીરનું સ્વાસ્થ્ય પેટના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. એટલા માટે આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપણે આપણા ખાવા-પીવામાં આવી ઘણી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ યોગ્ય આહાર લીધા પછી પણ જો પેટ ખરાબ રહેતું હોય, ઓડકાર, ગેસ, ઉબકા આવવાની સમસ્યા રહેતી હોય તો તમારે કેટલીક આયુર્વેદિક ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

પાચન શક્તિ મજબુત કરવા માટે આયુર્વેદિક નિયમો

પાચનતંત્રને મજબૂત કરવા માટે દહીં રાયતા અવશ્ય ખાઓ. તેનાથી પેટને ઠંડક મળે છે. ભોજન સાથે સલાડ ન ખાઓ, પરંતુ થોડા સમય પછી તેનું સેવન કરો.

ભોજન કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો કે ટીવી ન જુઓ. જેના કારણે તમારા શરીરને યોગ્ય પોષણ મળે છે. સાથે જ હિંગ અને જીરું મિક્ષ કરીને છાશ પીવાથી કબજિયાત અને લૂઝ મોશન થતું નથી.

વરિયાળી અને સાકર ખાધા પછી ખોરાક સારી રીતે પચી જાય છે. આ માટે હરડેની ગોળી અને ઘરેલુ ચુર્ણ પણ પેટ માટે ફાયદાકારક છે. ત્રિફળા ચૂર્ણ લેવાથી પેટ મજબૂત બને છે.

જમતા પહેલા આદુને લીંબુનો રસ અને એક ચપટી કાળું મીઠું ભેળવીને ખાવાથી પેટની સમસ્યા નથી થતી. ખોરાક સારી રીતે પચી જાય છે. બીજી તરફ, અપચોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમારે તમારા આહારમાં નિયમિતપણે ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ.

ડ્રાય ફ્રુટ્સ, ઓટ્સ, દાળ વગેરેના સેવનથી પાચનની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પાચનતંત્રને મજબૂત બનાવવા માટે, તમારે ચરબીયુક્ત પદાર્થો છોડવા પડશે. જો તમે ફ્લેક્સસીડ, તકમરીયા અને ઓમેગા 3 ફેટી એસિડ્સ જેવા ભરપૂર આહાર લેશો તો પાચનતંત્ર મજબૂત થશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *