શરદી અને ખાંસીથી દૂર રહેવા માટે તમે આ 10 ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જે લોકો હંમેશા શરદી, ખાંસીથી પીડાય છે, તેમણે શરદીથી બચવા માટે આ 10 ઘરેલું ઉપાય અજમાવવા જોઈએ, જે ખૂબ ફાયદાકારક છે.

શરદી અને ખાંસીથી બચવાના 10 ઘરેલુ ઉપાય:

તુલસીના પાન અને મીઠું:

 જો તમને શરદી હોય તો કાળા મીઠાની સાથે તુલસીના પાન ખાઓ. નિયમિત સેવન કરવાથી તમને રાહત મળશે.

હળદર વાળુ દૂધ: 

જે લોકોને હંમેશા શરદી, ખાંસી રહેતી હોય,તેને રાત્રે સૂતા પહેલા હળદરનું દૂધ પીવું જોઈએ. હળદરનું દૂધ પીવાથી તમારી શરદી, ખાંસી મટે છે અને આરોગ્ય સારું રહે છે.

લીંબુ અને આદુ: 

જે લોકોને ઘણી વાર શરદી અને ખાંસી હોય છે તેમણે આદુ સાથે લીંબુનો રસ લેવો.રોજ લીંબુ-આદુનું સેવન કરવાથી શરદી અને ખાંસીથી રાહત મળે છે.

લસણ: જો તમને હંમેશા શરદી, સળેખમ અને ખાંસી હોય તો લસણને ઘીમાં શેકી લો અને તેને ગરમ ગરમ ખાઓ. આમ કરવાથી તમે શરદી,કફ અને ખાંસીથી છૂટકારો મળે છો,અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

શેકેલા ચણા: રાતે સૂતા પહેલા શેકેલા ચણા ખાઓ અને ઉપર ગરમ દૂધ પીવો.આમ કરવાથી શરદી ખાંસીમાં રાહત મળે છે.

મસાલા ચા: શરદી, ઉધરસ અને ખાંસીથી રાહત મેળવવા માટે ગરમ ગરમ મસાલા ચા પીવો. ચામાં આદુ, તુલસી અને કાળા મરી મિક્સ કરો. મસાલા ચા સ્વાદમાં પણ સારી છે અને શરદી,ઉધરસ અને ખાંસીથી રાહત આપે છે.

કાળા મરી: સૂતા પહેલાં 2-3 કાળા મરી ચાવવાથી શરદી, ઉધરસ અને લાંબી કફની સમસ્યામાં રાહત મળે છે. તુલસીના પાનમાં કાળા મરી નાખીને ખાવાથી શરદી મટે છે.

ગાજરનો રસ: જે લોકોને હંમેશાં ઉધરસ અને શરદી હોય છે, તેઓએ દરરોજ ગાજરનો રસ પીવો જોઈએ. ગાજરનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કફ, શરદીને મટાડે છે.

આદુ અને મીઠું: જો તમને શરદી અને શરદીને કારણે ગળું દુખતું થયું છે, તો પછી આદુને નાના ટુકડા કરીને મીઠું નાંખો, અને ખાઓ. આમ કરવાથી શરદી-ઉધરસ મટે છે અને ગળું પણ ખુલે છે.

ગરમ પાણી અને મીઠાંના કોગળા: ખાંસી અને શરદીથી છૂટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. ખાંસી અને શરદીથી છૂટકારો મેળવવા માટે આ એક ખૂબ જ સરળ અને સારો ઘરેલું ઉપાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *