સામગ્રી

  • 1 કપ – ચણાનો લોટ
  • 1 કપ – ઘઉંનો લોટ
  • 2-3 મોટી ચમચી – તેલ
  • 4 સૂકા – લાલ મરચા
  • 1 ચમચી – હળદર
  • 1 ચમચી – ખાંડ
  • 1 નાની ચમચી વરિયાળી
  • 1 ચપટી – જીરુ
  • સ્વાદાનુસાર – મીઠું
  • તળવા માટે – તેલ
  • ખસખસ, આખા ધાણા
  • સૂકા નારિયેળનું છીણ
  • ગરમ મસાલો
  • આમચૂર પાવડર

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નું મોણ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ ભીના કપડા માં રાખી તેને ઢાંકી દો

.ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરવા માટે ગેસ પર પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં વરિયાળી, જીરુ, લાલ સૂકા મરચા, આખા ધાણા નાંખીને તેને શેકી લો અને તેને ડીશમાં કાઢીને ઠંડા થવા દો.

હવે આ મસાલો ઠંડો થાય ત્યાં સુધી કડાઈમાં તલ, ખસખસ, નારિયેળનું ખમણ નાંખીને તેને શેકી લો. એક ડીશમાં આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો.

આ બંને ઠંડા પડે એટલે તેને મિક્સ કરી તેમાં ખાંડ, મીઠુ, આમચૂર પાવડર, હળદર અને ગરમ મસાલો નાંખીને તેને મિક્સરમાં બરાબર કરકરો પીસી લો. તમારો ભાખરવડી બનાવવાનો મસાલો તૈયાર છે.

હવે સામગ્રી અને લોટને સરખા ભાગમાં વહેંચી લો. લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી રોટલી વણી લો અને તેના પર થોડુ પાણી લગાવો. આ રોટલી પર તૈયાર કરેલો મસાલો સરખા ભાગમાં ફેલાવી દો.

મસાલો ફેલાવ્યા પછી રોટલીનો પતલો રોલ તૈયાર કરો. આ રોલ બની જાય પછી તેની બંને બાજુ થોડુ પાણી લગાવી રોલને ચોંટાડી દો. ખાસ ધ્યાન રાખો કે રોલ ટાઈટ જ બને. આ રીતે રોલ તૈયાર થઈ જાય પછી તેને ચપ્પુથી એકસરખા નાના નાના ભાગમાં કટકા કરી લો અને તેને તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તેલમાં તળી લો.પછી ઐર ટાયટ ડબ્બા માં તમે સ્ટોર કરી શકો છો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *