મિત્રો , શું તમે જાણો છો કે અમુક રાજયો માં પગ માં માછલી ધારણ કરવી એ પણ સુહાગ ની નિશાની ગણાય છે. વર્તમાન સમય માં તો પગ માં માછલી ધારણ કરવી એ એક ફેશન બની ગઈ છે. પરંતુ , વિજ્ઞાન નુ આ વિશે કઈક અલગ જ માનવુ છે.

વૈજ્ઞાનિક અનુમાન મુજબ માછલી ને પગમાં અંગૂઠા ની બાજુ ની આંગળી માં પહેરવામાં આવે છે. જેથી પગ માં રહેલી ઉર્જા નિયંત્રણ માં રહે છે. ચાંદી ને ઉર્જા નું એક સારુ એવુ માધ્યમ ગણવામાં આવે છે. પગ માં માછલી પહેરવાથી પગ મા રહેલી ધ્રુવીય ઉર્જા નો સંચાર સમગ્ર શરીર માં થાય છે અને શરીર ઉર્જા થી ભરપૂર રહે છે. ચાંદી ની કોઈ વસ્તુ ધારણ કરવી એ આપણા શરીર માટે અત્યંત ફાયદારૂપ સાબિત થાય છે.

ચાંદી ની માછલી પગ માં પહેરવાથી શરીરમા અનેક લાભ થાય છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પગમાં માછલી પહેરવાનો એક સંબંધ ગર્ભાશય સાથે પણ સંકળાયેલો છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર આપણે પગ ની જે આંગળી માં માછલી ધારણ કરીએ છીએ તે આંગળી માં એક વિશેષ નસ રહેલી હોય છે જે સીધી જ ગર્ભાશય સાથે સંકળાયેલી હોય છે.

આયુર્વેદ અનુસાર જો સ્ત્રી પગ માં માછલી પહેરે તો તેની પ્રજનન ક્ષમતા માં પણ વૃદ્ધિ થાય છે. કારણ કે , જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ પગ ની જે આંગળી માં માછલી પહેરવામાં આવે છે ત્યા એક વિશિષ્ટ નસ રહેલી હોય છે આ નસ પર દબાણ પડતા તમારા શરીર માં રકત ના પ્રવાહ મા વૃદ્ધિ આવે છે અને તેની પ્રજનન ક્ષમતા વધે છે. આ સિવાય પગ માં માછલી પહેરવાથી માસિક ધર્મ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે અને તેમાં રાહત મળે છે.

આ ઉપરાંત પગ માં માછલી પહેરવાથી હ્રદય ના ધબકારા નિયમિત રહે છે અને તેમનું સંતુલન જળવાઈ રહે છે. માછલી પહેરવાથી સમગ્ર શરીર નું તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી તમે તણાવમુકત રહો અને શરીર માં યોગ્ય ઉર્જા નો સંચાર થાય.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *