પગની બળતરામાં રાહત માટે ઠંડુ પાણી એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે. ઠંડુ પાણી પગમાં કળતર, સુન્નતા અને સોજાથી ઝડપી રાહત આપે છે. આ માટે, ડોલમાં ઠંડુ પાણી ભરો. પછી પગને આ પાણીમાં થોડીવાર માટે પલાળી રાખો. પછી પગને થોડો આરામ આપ્યા પછી, ફરીથી આજ રીતે કરો. સફરજનનું વિનેગર પગના પીએચ સંતુલનને જાળવવામાં મદદ કરે છે અને પીડા ઘટાડવા અને અગવડતા દૂર કરવા માટે કામ કરે છે.

હળદર તેના રોગનિવારક ગુણધર્મો માટે જાણીતી છે. હળદરમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબાયલ ગુણ પગને આરામ કરવા તેમજ પીડાને દૂર કરવામાં મદદ કરે છે. તમે પગ પર હળદર અને નાળિયેર તેલથી બનેલી પેસ્ટ લગાવી શકો છો, અથવા એક ગ્લાસ દૂધમાં હળદર અને ઘી ભેળવીને  પીવું જોઈએ. આ કરવાથી, પગની બળતરાથી છુટકારો મળે છે.

સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઇને પીસી લો. રોજ તેનો 2 ચમચી ચાર વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગના બળતરાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે. રાત્રે સૂતા સમયે પગના તળિયામાં એલોવેરા જેલ લગાવવાથી પણ બળતરાથી રાહત મળી શકે છે.

દુધી શીતળ પ્રકૃતિનું શાક છે. જો પગમાં થઈ રહેલી બળતરાથી પરેશાન છો તો દુધીનો રસ કાઢીને પીવો,  માથું દુખતું હોઈ તો દુધી માથા પર બાંધવાથી રાહત મળે છે. તે સિવાય દુધીની પેસ્ટ બનાવી તળિયા પર લગાવવાથી પગની બળતરા પણ દૂર થઇ શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *